આગામી ૧૦મીએ યોજાશે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નવનિર્મિત આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, તાપી

     કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નવનિર્મિત આવાસોનો લોકાર્પણ અંગેનો કાર્યક્રમ સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં આગામી તા.૧૦/૦૨/૨૦૨૪નાં રોજ યોજાનાર છે. આ ઉપરાંત માન.રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને વલસાડ ખાતે તા.૧૩/૦૨/૨૦૨૪નાં રોજ આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. તાપી જિલ્લામાં આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. તાપી જિલ્લામાં આગામી તા.૧૦/૦૨/૨૦૨૪નાં રોજ વ્યારા તાલુકાના દક્ષિણાપથ વિદ્યાલય ખાતે તથા ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામ ખાતે આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ સંદર્ભે આવાસના લાભાર્થીઓની યાદી, લોકાર્પણ, ખાતમુહુર્તની વિગતો, કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓને લાવવા લઇ જવાની વ્યવસ્થા, ફુડ પેકેટ, સહિત આનુસાંગિક બાબતો અંગે સમિક્ષા યોજાઇ હતી. બેઠકમાં પ્રાયોજના વહિવટદાર રામનિવાસ બુગલીયા, અધિક નિવાસી કલેક્ટર આર.આર.બોરડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.એસ.પટેલ અને જિલ્લા-તાલુકાના અધિકારી કર્મચારીઓ ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.

Related posts

Leave a Comment